રોક ગાર્ડન એ ભારતના ચંદીગઢમાં આવેલું,એક શીલ્પ ઉદ્યાન છે, તે નેકચંદનું રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ નામ આઉદ્યાનના સંસ્થાપક, નેક ચંદનામના સરકારી અધિકારી દ્વારા , દ્વારા ગુપ્ત રીતે ૧૯૫૭માં બનાવાયું હતું. આજે આ ઉદ્યાન ૪૦ એકર વિસ્તારમાં ફેલાયેલ છે (૧૬૦,૦૦૦ ચો કિમી). આ ઉદ્યાન સંપૂર્ણ રીતે ઔદ્યોગિક અને ઘરેલુ આડ પેદાશ અને ફેંકી દેવાતા પદાર્થોથી બનાવેલ છે.
લગભગ ૧૯૫૭માં નેકચંદ નામના એક વ્યક્તિએ ગુપ્ત રીતે આ ઉદ્યાન શરૂ કર્યું.સત્તાધીશોને આ જગ્યા ૧૯૭૫માં મળી આવી ત્યારે આ એક વચ્ચે વચ્ચે જોડાયેલ વાડાઓનો સમૂહ બની ચૂક્યો હતો., દરેકમાં સો એક ચિનાઈ માટીના ટુકડાઓ થી મઢેલા સંગીત વાદકૢ નર્તકૢ અને પ્રાણીઓના શિલ્પ હતાં. સત્તાધીશોએ આનો તાબો લીધો અને તેને ઉદ્યાન સ્વરૂપે ૧૯૭૬માં ખુલ્લો મુક્યો. અત્યારે તેનો વહીવટ રોક ગાર્ડન સોસાયટી દ્વારા ચલાવાય છે.
નેક ચંદ સૈની(नेक चंद सैणी) સૈની એક સ્વ શિક્ષિત કલાકાર છે, તેઓ રોક ગાર્ડનના શિલ્પના નિર્માણમાટે પ્રખ્યાત છે. તેમનું કુટુંબ ૧૯૪૭માં ભાગલા પછી ચંદીગઢમાં આવ્યું. તે સમયે, તે સમયે સ્વીસ્/ફ્રેંચ વાસ્તુવીદ લે કોરબ્યુસીયર દ્વારા આ શહેરનું આયોજન થઈ રહ્યું હતું. આ ભારતનું પ્રથમ આયોજિત નગર હતું. ૧૯૫૧માં શ્રી ચંદને અહીં રોડ ઈંસપેક્ટર તરીકે કામ મળ્યું
હજી પણ રોક ગાર્ડનને બિનુપયોગિ વસ્તુઓ માંથી જ બનવવામાં આવે છે. તે સુખના તળાવ નજીક આવેલું છે. આમાં માનવ રચિત એકબીજાસાથે જોડાયેલા જળ ધોધ છે અને ઘણાં અન્ય શિલ્પો છે જે ભંગાર અને અન્ય બિનુપયોગિ વસ્તુઓ જેમ કે બાટલી, કાંચ, બંગડી, લાદી, સિરમિક ઘડાં, કુંડુ, વિદ્યુત કચરો, વિગેર) જેને રસ્તાની દિવાલ પર મઢેલા છે.
આ રચનાને ૧૯૮૩માં ભારતીય સ્ટેમ્પ પર પણ સ્થાન મળ્યું છે.