ભારતનું પ્રવેશદ્વાર ભારતનું પ્રવેશદ્વાર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે આવેલું છે. આ પ્રવેશદ્વાર વર્ષોથી 'ગેટ વે ઓફ ઇન્ડીયા(Gateway of India)'ના નામથી જાણીતું છે. આ પ્રવેશદ્વાર એક સ્મારકર તરીકે બનાવવામાં આવેલી ઇમારત છે, જે ૨૬ મિટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે. આ પ્રવેશદ્વારના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન[૩જી ડિસેમ્બર ૧૯૧૧માં]નો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતના સ્થપતિ જ્યોર્જ વિટૈટ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય સને ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.
cs:Brána Indie de:Gateway of India en:Gateway of India eo:Pordego
al Barato (Mumbajo) fa:دروازه هند fr:Porte de l'Inde (Mumbai)
gl:Porta da India, Mumbai he:השער להודו hi:गेटवे ऑफ़ इन्डिया ko:인도문
(뭄바이) mr:गेटवे ऑफ इंडिया no:Gateway of India ru:Ворота в Индию
sv:Gateway of India zh:印度门