કેન્ડી (સિંહલી: මහනුවර, મનોર; તમિલ: கண்டி, કાન્ડી), શ્રીલંકા દેશમાં આવેલ એક મુખ્ય શહેર છે, કે જે તેના મધ્ય પ્રાંતમાં સ્થિત થયેલ છે. આ શહેર શ્રીલંકાના પ્રાચીન રાજાઓના સમયમાં છેલ્લું રાજધાનીનું શહેર હતું. કેન્ડી નગર, કેન્ડીના ઉચ્ચપ્રદેશ (પઠાર) ખાતે પહાડીઓ વચ્ચે આવેલ છે, જે ઉષ્ણકટિબંધીય બગીચાઓ, મુખ્યત્વે ચાના બગીચાઓ વડે આચ્છાદિત છે. કેન્ડી મધ્ય પ્રાંતની રાજધાની હોવા સાથે એક મહત્વપૂર્ણ વહીવટી અને ધાર્મિક શહેર છે. કેન્ડી શહેર ખાતે શ્રી દલાદા માલીગાંવ અથવા 'પવિત્ર દંત અવશેષ મંદિર' પણ આવેલ છે, જેને બૌદ્ધ અનુયાયીઓ બોદ્ધ ધર્મનાં કેટલાક સૌથી પવિત્ર પૂજાના સ્થળો પૈકીનું એક માને છે. વર્ષ ૧૯૮૮માં આ મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.