બૌદ્ધનાથ (હિન્દી:बौद्धनाथ; અંગ્રેજી:Boudhanath) નેપાળના પાટનગર કાઠમંડુના પૂર્વ ભાગમાં આવેલ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ તેમ જ તીર્થસ્થળ છે. આ સ્તૂપ દુનિયાના સૌથી મોટા સ્તૂપો પૈકીનો એક છે એવી સ્થાનિક માન્યતા છે. આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.
આ સ્તૂપના નિર્માણ કાર્ય દરમિયાન આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, આથી પાણી ન મળવાને કારણે ઝાકળના બિંદુઓથી આ સ્થાપત્ય બનાવવામાં આવ્યું હોવાની સ્થાનીક માન્યતા છે.
આ સ્તૂપ ૩૬ મીટર ઊંચાઈ ધરાવતું સ્થાપત્ય કલાનું સુંદર ઉદાહરણ પ્રસ્તુત કરે છે.